શબ્દ અને વિચાર અંતર વધારી દે છે,
કારણ કે ક્યારેક આપણે સમજી નથી શકતા તો
ક્યારેક આપણે સમજાવી નથી શકતા.
પરિસ્થિતિ એક જ હોય છે,
તેમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે
અને સફળ વ્યક્તિ પાસે તારણો હોય છે.
સમાજનાં ડરથી તમારો સાચો નિર્ણય ન બદલો,
સમાજ તમને શિખામણ આપશે, ખાવા માટે રોટલી નહિ.
જયારે આખી દુનિયા કહે કે હાર માની લે અને
તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ કર,
તો સમજી લેવાનું કે આ વખતે તમારી જીત પાક્કી છે.
જીવનમાં મળે છે તો ઘણું બધું આપણને
પણ આપણે ગણતરી તો
એની જ કરીએ છીએ જે નથી મળતું.
ઈશ્વર તપાવશે જરૂર પણ દાઝવા નહિ દે,
એટલા માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવશો નહિ.
સબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,
પરંતુ નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે.
ઘણી યાદો એવી હોય છે,
જેને યાદ કરીને હોઠ તો હસે છે
પણ આંખો રડી પડે છે.
આ દુનિયામાં ચપ્પલથી મોટું કોઈ કપલ નથી,
એક ખોવાઈ જાય તો
બીજું આપોઆપ અસ્તિત્વ ગુમાવી દે છે.
જે તમારી સાથે હ્રદયની ભાષામાં વાત કરે છે
તેની સાથે બુદ્ધિની ભાષામાં વાત કરવાની ભૂલ ક્યારેય ન કરશો.
ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી,
પણ "એક કડવો અનુભવ" તમને આખું પુસ્તક લખાવી શકે !!
ગમતાં વ્યક્તિઓ સાથે નાના ઝઘડા કરતાં રે જાે
કારણકે બહુ મિઠાસ હાેય ત્યાં તાે જીવડા પડતાં હાેય છે... સાહેબ
એપ્લિકેશનનાં વર્જન તો વારંવાર અપડેટ કરો છો,
ક્યારેક પોતાની જાતનાં વર્જનને અપડેટ કરી જુઓ,
કદાચ કંઈ નવું મળી જાય...
વષૅમાં બે દિવસ એવા છે,
જયારે આપણે કંઈ જ કરી શકતા નથી,
એક "ગઇકાલ" અને બીજી "આવતીકાલ"
પ્રેમ થી જીવવા માટે માત્ર
આજ જ આપણી પાસે છે..
“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે “સમય” હોય છે
ત્યારે “સમજણ” નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.
બંધ કબાટ મા પુસ્તકે આત્મહત્યા કરી ,
ને ચીઠ્ઠી મા લખ્યુ " મોબાઈલ ના ત્રાસ થી "
"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો
જે માંગો એ મળી જાય એ શક્ય નથી...!!
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી...!!
માળા ની તારીફ તો બધા કરે છે,
કેમ કે મોતી દેખાય છે.
હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે....
ભગવાને કોઈ નું નશીબ
ખરાબ લખ્યું જ નથી
સાહેબ.....
એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે !!
સમસ્યા વિશે વિચારીએ
તો બહાના મળશે ,
પરંતુ સમાધાન વિશે
વિચારીશું તો નવા માગોઁ મળશે
જ્યારે હથેળીમાં રહેલી ભાગ્યરેખા સુકાતી લાગે...
ત્યારે....
કોઈ ગરીબના આંસુનું સિંચન કરજો...
ભાગ્યરેખાઓ નો બગીચો હથેળીમાં ખીલશે...
ભગવાન પર ભરોસો કરવાનું શીખવું હોય તો પક્ષીઓ પાસે થી શીખો.
કેમ કે
સાંજે તે માળા માં પાછું આવે છે ત્યારે તેની ચાંચ માં કાલ માટે કોઈ દાણો નથી હોતો
સપના હંમેશાં ઊંચા હોવા જોઈએ,
ભલે પરિસ્થિતિ ઊંચી ના પણ હોય
રાજા બનીને જીવો...
જેને બીજામાં ખામી દેખાય એની મંઝીલ હજુ ખૂબ લાંબી છે
જેને પોતાના માં ખામી દેખાય એની હવે અડધી મંઝિલ જ બાકી છે
અને
જેને ક્યાંય ખામી દેખાતીજ નથી એ પરમાત્મા ની પાસેજ ઉભો છે
પડછાયાને અભિમાન હતું તડકો રોકી રાખવાનું,
પણ
અંધારું થયું ને પોતે જ ખોવાઈ ગયો.
ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.
નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.
જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.