કેમ રે કહીએ ચંદ્ર આ વાતડી
તુજથી ભલી છે રે તારી ચાંદની
તમે છો રૂડા રૂડા મારા રામજી
પણ એથીય રૂડા તમારા નામજી
તમથી ભલી ચરણ રજ રામજી
જયશ્રી રામ
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોતમ ગણાય છે,
જયારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોતમ ગણાય છે.
શ્રી રામ નો જન્મ ચૈત્ર સુદ નવમી ના રોજ થયો હતો,
તેથી રામનવમી નું મહત્વ અનેરું, અનોખું અને અદ્વિતીય છે.
રામ નવમી એટલે ભગવાન શ્રી રામ ના પ્રાદુર્ભાવ નો અનેરો દિવસ.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ.
જયશ્રી રામ