નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.
તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે.
હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાઇ આ ખાડામાં કેટલા પડે છે!
તમે ફૂલ નહીં પન જમીન પર ઉગ્તા ઘાસ છો,
સાચ્ચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.
કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ …
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ …
શોધતો જેની પગલી, એનો મારગ શોધે મને;
એક્બેજાંને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં
નાહકનો ભરી દાયરો હો જી,
રંગ-સુગંધનાં મૂલ કરે એવો
ક્યાં છે સોદાગર વાયરો હો જી?
સળગે છે તે ભડકો છે, ને પ્રગટે છે તે દીપ;
મલકે છે તે મોતી છે, ને ચળકે છે તે છીપ.
જિંદગી તો એની એ જ રહેવાની છે,જાગો કે ઊંધો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે!
અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે !
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટયા આયખાને શેણેથી તુણાય રે !
હશે જો કર્ણો, તો જગ સકલ સંગીત બનશે;
અમી આંખોમાં જો, પથરપટમાં પુષ્પ ખીલશે;
મીઠી કિંતુ સાચી જીભ થકી ઘટે અંતર બધાં;
હશે હૈયું કૂણું, મલિન તનમાં મંદિર સદા.
સન્માન કેવું પામશો, મૃત્યુ પછી ‘ગની’ ,
જોવા તમાશો કદી, ગુજરી જવું પડે.
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો,
પડછાયો જોતજોતામાં તડકો બની ગયો.
પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’
ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.
ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું :
તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?
વર્ષાને કહી દો, માપથી વરસે,
નયનને વહેવાની આદત નથી..
નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે,
કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે,
લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો
એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.
સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?!
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?!
“હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું,
પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.
દુનિયા કા સબસે અચ્છા ગીફટ વકત હૈ
કયોકી અગર આપ કીસીકો અપના વકત
દેતે હો આપ ઉસે અપની લાઇફ કા વો પલ
દેતે હો જો કભી લૌટ કર નહીં આતા.
જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ
સફળ માણસની નિશાની છે, પણ
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને
જીવવું એ સુખી માણસની નિશાની છે.
ઉઠે જો હાથ તારા તો કલમ દ્રારા ખૂશી દેજે
જગતને શબ્દની સંવેદનાથી તર મૂડી દેજે
બધા ચાહે છે આકાશી ચમકતાં ચાંદને પણ તું
સિતારા જેમ કોઇનાં નયનને રોશની દેજે
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં ,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું.
પોતાનુ સંપૂર્ણ જીવન આપીને
"પાણી" વૃક્ષ ને ઉછેર છે,
તેથી જ તે લાકડાને
પોતાની અંદર કદી ડુબાડતુ નથી......
છે ને"ખાનદાની"...
જીવનમા કયારેક ખરાબ દિવસ નો
અનુભવ થાય ને સાહેબ, તો એટલો
જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો
જિંદગી નહિ.
"સાહેબ કોઇ એવુ યંત્ર શોધી
કાઢોને કે 'દિલ' અને ' દિમાગ' ના X-
RAY પાડી આપે;
મારે જોવુ છે કેના દિલ મા ' ઝેર' અને
કોના દિમાગ મા 'વેર' છે."
લોકો કહે છે કે
ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી
ખર્ચાઇ જાય છે.
આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ
છોડી જવા જેવું છે
સાહેબ એ મુર્ખામી છે,
શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ
પણ નીકળે.
જમતી વખતે ઇશ્વરને પ્રાર્થના અવશ્ય
કરજો..
જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના
બાળકો કયારેય ભૂખ્યા ન રહે..